પ્રસ્તાવના:
આ લેખમાં આશ્રમ શાળાઓ અને બહુશ્રેણિય શાળાઓ વિશે ચર્ચા કરવામાં આવી છે, જે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે મહત્ત્વપૂર્ણ છે. હંટર કમિશનના રિપોર્ટ પ્રમાણે, આવી શાળાઓએ ગ્રામીણ વિસ્તારોમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. બહુશ્રેણિય શાળાઓમાં એક શિક્ષક બધી શ્રેણીના વિદ્યાર્થીઓને ભણાવે છે, અને આ શાળાઓ દ્વારા જીવનકૌશલ્યોનું વિકાસ કરવામાં આવે છે.
આશ્રમ શાળાઓ ખાસ કરીને આદિવાસી, પછાત, અને અંતરિયાળ વિસ્તારોના બાળકો માટે સ્થાપવામાં આવી છે, જ્યાં વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને શિક્ષણની તમામ સુવિધાઓ વિનામૂલ્યે મળી રહે છે.
આ ઉપરાંત, નિરક્ષરતા નિવારણ અને સાક્ષરતા અભિયાન, પ્રૌઢ શિક્ષણ, નિરંતર શિક્ષણ, અને સંકલિત શિક્ષણ યોજના જેવા કાર્યક્રમો પણ મહત્ત્વના છે.
આશ્રમ શાળા/બહુશ્રેણિય શાળા
હંટર કમિશનના રિપોર્ટમાં ખાસ ગામડાની શાળાઓ વિશે કહ્યું છે કે, ‘આવી શાળાઓએ પોતાનું અસ્તિત્વ ગુણવત્તાના ધોરણે જ ટકાવી રાખ્યું છે. તેની સામે ઊભી કરવામાં આવેલી અન્ય શાળાઓના મુકાબલામાં આ શાળાઓ સફળ નીવડી છે.
બહુશ્રેણીય શાળા
બહુશ્રેણીય શાળા એટલે એવી શાળા જ્યાં શિક્ષક એક જ સમયે એક સાથે બેથી વધુ શ્રેણીનાં બાળકોને ભણાવતા હોય.
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986ના અમલીકરણ માટે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાની જવાબદારી માથે લીધી છે. ‘ઓપરેશન બ્લેકબોર્ડ’ના અમલીકરણ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બીજા શિક્ષકની નિમણૂક કરવાનું કહેવામાં આવ્યું.
આવી શાળામાં સફાઈ, શ્રમ સમૂહભાવનાનાં જીવનકૌશલ્યોનો વિકાસ થાય છે.
બહુશ્રેણીય શાળામાં અધ્યાપન કાર્યની વ્યવસ્થા
- પ્રત્યક્ષ શિક્ષણ
- મોનિટર કેન્દ્રસ્થાને
- સહ-અધ્યયન પ્રવૃત્તિ
- સહાધ્યાયી શિક્ષણ પદ્ધતિ
- જૂથકાર્ય દ્વારા શિક્ષણ
- પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ
આશ્રમશાળા
- સ્વતંત્રતા પહેલા આદિવાસી, પહાડી વિસ્તાર, પછાત વિસ્તાર, અંતરિયાળ, દુર્ગમ વિસ્તારોમાં શિક્ષણ માટે કોઈ ખાસ પ્રકારના અથવા તો વિશિષ્ટ ધ્યાન દઈને પ્રયત્નો કરવામાં આવ્યા ન હતા. સ્વતંત્રતાની લડત ચળવળ દરમિયાન રાજ્યના અને રાષ્ટ્રના નેતાઓના ધ્યાને આવ્યું અને પાયાનું શિક્ષણ તથા વિકાસ તરફ પ્રયત્નો શરૂ થયા. ગાંધીજી, સરદાર, ઠક્કરબાપા, કૃપલાની, આંબેડકર, ગોખલે, ટિળક વગેરે સેવકોએ વિશિષ્ટ ધ્યાન દોર્યું.
- આદિવાસી અને પછાત વિસ્તારોમાં સ્વૈચ્છિક, સામાજિક સંસ્થાઓને પ્રાથમિક શિક્ષણનું કાર્ય કરવાની છૂટ આપી. પરિણામે આદર્શ આશ્રમશાળા સ્થપાઈ.
- આશ્રમશાળા પૂ. ગાંધીબાપુને આભારી છે. બાપુની આશ્રમી જીવનપદ્ધતિ અને પોતે અપનાવેલી બુનિયાદી શિક્ષણ પદ્ધતિ સમન્વય કરી જીવનલક્ષી કેળવણી સમાજને ભેટ ધરી.
- ધોરણ 1 થી 7 સુધીનું સહશિક્ષણ હોય.
- પછાત વિસ્તાર, ડુંગર વિસ્તાર, શહેરથી દૂર ખુલ્લા વિસ્તારોમાં, પર્યાવરણના સાંનિધ્યમાં સીધા-સાદા મકાનમાં ચાલતી શાળા છે.
- આદિવાસી ઉપરાંત સમાજનાં પછાત અને ગરીબ બાળકો શિક્ષ મેળવે છે.
- જમવા, રહેવા, પોશાકની સગવડ વિનામૂલ્યે મળે છે.
વિકાસ
- ગુજરાતમાં સૌપ્રથમ આશ્રમશાળાની સ્થાપના 1922માં મીરાખેડી પંચમહાલ જિલ્લામાં થઈ. જેનું સંચાલન અને કામ ઠક્કરબાપાએ સંભાળ્યું.કંગાળ, શોષિત, આર્થિક રીતે નબળા આદિવાસીઓ માટે વિનામૂલ્યે શિક્ષણ આપવાની વ્યવસ્થા થઈ.
- ઠક્કરબાપાની આશ્રમશાળાની પ્રેરણા લઈ સુરત જિલ્લામાં સરભોણ ગામે 1923માં આશ્રમશાળા ઊભી થઈ.
- મુંબઈ રાજ્યમાંથી ગુજરાત જુદું પડ્યું ત્યારે 41 આશ્રમશાળાની સ્થાપના થઈ હતી. 1961માં ઢેબર સાહેબની અધ્યક્ષતામાં આદિવાસી શિક્ષણ માટે એક પંચની રચના થઈ.
- આશ્રમશાળા ખોલવા ખાસ ભલામણ કરી. આજે બધી આશ્રમશાળાને સહાય આપવામાં આવે છે.
સર્વસમાવેશક શાળા :
- જે બાળકો અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોનાં હોય તે બાળકોનો નબળા વર્ગો અને વંચિત જૂથોમાં સમાવેશ થશે અને તેના માટે કોઈ પણ સમુચિત સત્તામંડળના પ્રમાણપત્ર મારફત રાજ્ય સરકાર દ્વારા આવા ખાસ દરજ્જાની માન્યતા પૂરતી રહેશે.
- જે બાળકોનાં કુટુંબોની તે ખાસ સમયે (BPL) ગરીબીરેખા હેઠળ આવતી કુટુંબોની યાદીઓનાં દાખલ કરેલ હોય તેવા કુટુંબનાં બાળકો, આર્થિક રીતે નબળાં વર્ગનાં કુટુંબોનાં બાળકો ગણાશે.
- ખાસ વર્ગનાં બાળકો માળખાકીય સગવડો, અભ્યાસપૂરક પ્રવૃત્તિઓની પ્રાપ્તિ અથવા શિક્ષકો, વ્યવસ્થાપક મંડળ અથવા વિદ્યાર્થીઓના વર્તનના સંબંધમાં કોઈ પણ સંજોગોમાં ખાસ વર્ગનાં બાળકો પ્રત્યે ભેદભાવ નહિ. આ નિયમનું ગંભીર પ્રકારનું ઉલ્લંઘન થયે, માન્યતા પાછી ખેંચી લઈ શકાશે.
- નિરક્ષર : પોતાના રોજિંદા ઉપયોગમાં આવે તેટલું પણ વાંચન લેખન અને ગણન ન કરી શક્નાર.
- ગાંધીજીના શબ્દોમાં, “જનસમૂહની નિરક્ષરતા એ હિંદુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવું જોઈએ.”
- સાક્ષરતા : યુનેસ્કોના મત મુજબ “સાક્ષરતાનો અર્થ માત્ર લખવું, વાંચવું એવો થતો નથી. વ્યક્તિને એવી રીતે સાક્ષર બનાવવામાં આવે કે જેથી તે પોતાના સામાજિક, આર્થિક કાર્યો કરવામાં કુશળતા પ્રાપ્ત કરી શકે.”
પ્રૌઢ શિક્ષણ :
- 15 થી 35 વર્ષની વયજૂથની નિરક્ષર વ્યક્તિઓને સાક્ષર બનાવવા જે શિક્ષણ આપવામાં આવે છે તેને પ્રૌઢ શિક્ષણ કહે છે.
- 30 નિરક્ષર વ્યક્તિએ એક શિક્ષિત વ્યક્તિ વર્ગ-સંચાલક તરીકે જોડાઈ.
નિરંતર શિક્ષણ :
સાક્ષર થયેલી વ્યક્તિઓને જીવનધોરણની ગુણવત્તા સુધારવા આપવામાં આવતા શિક્ષણને નિરંતર શિક્ષણ કહે છે.
અનુસાક્ષરતા કાર્યક્રમ :
સંપૂર્ણ સાક્ષરતા અભિયાનમાં જોડાયેલા નિરક્ષરો જે સાક્ષર બન્યા, તેઓ ભણેલું ભૂલી ન જાય તે માટે બીજા તબકકે દ્રઢીકરણ અનુસાક્ષરતા કાર્યક્રમ સમાવવામાં આવ્યો.
વસ્તી શિક્ષણસ્વરૂપ :
- વસ્તી શિક્ષણના બે સ્વરૂપો જેમાં એક કાર્યક્રમ સ્વરૂપે અને બીજું સંધાન સ્વરૂપે. ગુજરાતમાં કાર્યક્રમ સ્વરૂપે આ કાર્યક્રમ ચાલે છે
- ઈ.સ. 1970માં યુનેસ્કોના બેંગકોક ખાતે વસ્તી શિક્ષણ પર એક આંતરરાષ્ટ્રીય કાર્યશિબિર યોજીને તેની સંકલ્પના સ્પષ્ટ કરવામાં આવી. “વસ્તી શિક્ષણ એક એવો શૈક્ષણિક કાર્યક્રમ છે જે વિધાર્થીઓમાં કુટુંબ, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર તથા સમગ્ર વિશ્વની વસ્તી અંગે એક પ્રકારની સભાનતા કેળવી છે. એટલું જ નહીં, તદ્વિષયક વલણો અને વર્તન ઘડવામાં પણ સહાયભૂત થાય છે.
- ડો. વી. કે. આર.વી. રાવના મુજબ “માનવીય સંપત્તિના વિકાસનો કાર્યક્રમ એટલે વસ્તી શિક્ષણ.”
વસ્તી વૃદ્ધિ માટે જવાબદાર પરિબળો :
- ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર
- બાળલગ્નો અને પ્રજનનક્ષમતા
- નિરક્ષરતા
- સ્થળાંતર
- રૂઢિચુસ્તતા અને અંધશ્રદ્ધા
તારુણ્ય શિક્ષણ:
- બાલ્યાવસ્થાથી પુખ્તાવસ્થા સુધીમાં શારીરિક, માનસિક અને સામાજિક પરિપક્વતા પ્રાપ્ત કરવાનો સમયગાળો એટલે તારૂણ્ય
- તરુણાવસ્થા કે કિશોરાવસ્થા અથવા ‘એડોલેસન્સ’ લેટિન ભાષાના શબ્દ એડોલિસીસમાંથી ઊતરી આવ્યો છે, મૂળ એર્ડાલિસીસ અર્થ વિકસિત થવું, દરેક વ્યક્તિમાં આ ઉંમરે વિકાસ થાય.
- વિકાસમતવાદી મનોવૈજ્ઞાનિકો આશરે 13 થી 18 વર્ષની વ્યક્તિને તરુણ માને છે.
- જ્યારે WHOના મત પ્રમાણે 10 થી 19 વર્ષની વયની વ્યક્તિને તરુણ ગણે છે.
સંકલિત શિક્ષણ
- 1986માં જ ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સંકલિત શિક્ષણ યોજનાનો પ્રારંભ થયો.
- ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા એ જ વર્ષથી કેન્દ્રીય પુરસ્કૃત વિકલાંગ બાળકો માટેની સંકલિત શિક્ષણ યોજનાનો પ્રારંભ થયો.
- રાજ્યમાં આ યોજના [I.E.D.C.] Integrated Education for Disabled Children ના નામે ઓળખાય છે.
- આ યોજનાનું સંચાલન અને નિયંત્રણ ઓગસ્ટ 1998 સુધી નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ દ્વારા થતું. જે સપ્ટેમ્બર, 1999થી નિયામકશ્રી, જી.સી.આર.ટી.ને સોંપવામાં આવ્યું છે.
અર્થ:
વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતાં બાળકોને તેઓનાં માતા-પિતા અને કુટુંબ સાથે રહીને પોતાના જ ગામ કે વિસ્તારમાં આવેલી સામાન્ય શાળામાં સામાન્ય બાળકો સાથે શિક્ષણ મેળવવાની સામાન્ય તક પૂરી પાડતી વ્યવસ્થા એટલે સંકલિત શિક્ષણ યોજના.
બાળકોને મળતા લાભો:
- પુસ્તકો, સ્ટેશનરી
- ગણવેશ
- વિશિષ્ટ સાધન-સામગ્રી
- બાળકોનાં સર્વ અને મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા
- છાત્રાલય સહાય
- દૃષ્ટિહીન વિદ્યાર્થીઓને રીડર એલાઉન્સ
- ગંભીર વિકલાંગતાવાળા વિધાર્થીઓ માટે એરકોર્ટ એલાઉન્સ
- વિકલાંગ વિધાર્થીઓ માટે શૈક્ષણિક-સાધનસામગ્રી તૈયાર કરવા માટે
- ટ્રાન્સપોર્ટ એલાઉન્સ
વિકલાંગ (સમાન તકો, અધિકારોનું રક્ષણ,પૂર્ણ ભાગીદારી) ધારો 1995 :
- ડિસેમ્બર, 1992માં એશિયા અને પેસેફિકના આર્થિક અને સામાજિક પંચની બેઠક મળી.
- આ બેઠકનો મુખ્ય હેતુ ભારત સહિત એશિયાના દેશોનાં વિકલાંગ બાળકોને શિક્ષણની સમાન તકો પૂરી પાડી અધિકારોનું રક્ષણ કરવું.
- આ બેઠકમાં થયેલી જાહેરાતના અનુસંધાને ભારતમાં 1995માં આ ધારો અમલમાં આવ્યો, જે રાષ્ટ્રપતિની સ્વીકૃતિ મળ્યા બાદ 1 લી જાન્યુઆરી, 1996થી કાર્યરત થયો. (જમ્મુ-કાશ્મીર સિવાય લાગુ પડે.)
- તેમાં કુલ 14 પ્રકરણો છે.
આઈ.ઈ.ડી.સી. સેલની ભૂમિકા
- રાજ્ય સ્તરે સંકલિત શિક્ષણ યોજનાનું સંચાલન અને નિયંત્રણ કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જીસીઆરટી ગાંધીનગરની કચેરીમાં આઇઇડીસી સેલ સપ્ટેમ્બર, 1999થી શરૂ કરવામાં આવેલ છે.
કાર્ય:
- સંકલિત શિક્ષણ યોજનાનું કાર્ય કરતી સંસ્થાઓની કામગીરીનું સંકલન કરવું.
- કેન્દ્ર અને રાજ્ય સરકાર વતી આ યોજનાનો નાણાકીય વહીવટ કરવો અને વખતોવખત જરૂરી માહિતી પૂરી પાડવી.
- વિકલાંગતાના ક્ષેત્રમાં તાલીમ પામેલા વિશિષ્ટ શિક્ષકોની ભરતી માટે એન.ઓ.સી.ની અને બહાલી આપવી.
- વિશિષ્ટ શિક્ષકો/સહાયકો માટે સેવાકાલીન તાલીમ યોજવી.
સ્વૈચ્છિક સંસ્થાઓની ભૂમિકા:
- સંકલિત શિક્ષણ યોજનાનો લાભ રાજ્યના અંતરિયાળ અને છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવામાં સ્વૈચ્છિક સંસ્થાઓ ચાવીરૂપ ભાગ ભજવે છે.
- નક્કી કરેલા વિસ્તારમાં બાળકોનો સર્વે, ઓળખ અને નામ-નોંધણી કરવી.
- વિકલાંગ બાળકોનું સામાન્ય શાળામાં નામાંકન અને સ્થાયીકરણ કરવું.
- યોજના સંબંધી વહીવટી હિસાબો નિભાવવા.
આ પણ વાંચો: બુનિયાદી શિક્ષણ |TET/TAT
વિશિષ્ટ શિક્ષકની ભૂમિકા :
- સંકલિત શિક્ષણ યોજના અંતર્ગત ક્ષેત્રિય કામગીરી કરીને આ યોજનાનો વ્યાપ અને વિસ્તાર વધારવામાં વિશિષ્ટ શિક્ષકની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે.
- વિશિષ્ટ શિક્ષક સંસ્થા, શાળા અને વિકલાંગ વિધાર્થીઓ વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે છે.
કાર્ય :
- વિકલાંગ બાળકોના સર્વે કરી નામ-નોંધણી કરવી.
- નક્કી કરેલા દિવસે વિકલાંગ બાળકોને રિસોર્સ સેન્ટર પર લાવી અને તેમની પાસે વિશિષ્ટ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરાવવો.
- વિક્લાંગ બાળકોને સામાન્ય શાળામાં પ્રવેશ અપાવવો.


