પ્રસ્તાવના
આજના બ્લોગમાં આપણે જાણીશું, વ્યક્તિના જીવનમાં વૃદ્ધિ, વિકાસ અને પરિપકવતા એકબીજાની સાથે નજીકથી જોડાયેલા છે. જન્મ એ માત્ર શારીરિક વૃદ્ધિની શરૂઆત નથી, પરંતુ માનસિક અને ભાવનાત્મક વિકાસની યાત્રાનો આરંભ પણ છે. જેમ જેમ વ્યક્તિ વિકસે છે, તે અનુકૂળ પરિસ્થિતિઓ અને અનુભવો દ્વારા પરિપકવ બનવા તરફ આગળ વધે છે. આ પરિપકવતા વ્યક્તિને વધુ સજાગ, સમજદાર અને જવાબદાર બનાવે છે. આ રીતે, વૃદ્ધિ, વિકાસ અને પરિપકવતા એકબીજાના આધાર સાથે જીવનના દરેક તબક્કે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
‘વ્યક્તિનો જન્મ વૃદ્ધિ, વિકાસ અને પરિપકવતાનું પરિણામ છે. વૃદ્ધિ વિકાસ અને પરિપકવતા એ પરસ્પર આધારિત છે.’
{getToc} $title={Table of Contents} $count={Boolean}
વૃદ્ધિ
- ‘વૃદ્ધિ એટલે શરીરનાં કદ, આકાર અને બંધારણમાં થતાં ફેરફારો.’ – ક્રો અને ક્રો
- ‘બાળકના જન્મથી તે પુન્નતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં બે ગણો, છાતીમાં અઢી ગણો, ધડમાં ત્રણ ગણો, હાથમાં ચાર ગણો, અને પગમાં પાંચ ગણો વધારો થાય છે.’ – ઇલિઝાબેથ હરલોક
- શારીરિક અને માનસિક વિકાસ સમાંતર ચાલે છે. ‘વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર’ – ફ્રેન્ડ
- શરીરનાં અંગોમાં પ્રમાણાત્મક ફેરફાર થતો હોવાથી માનવીના આકારમાં સમરૂપતા અને એકરૂપતા જોવા મળે છે. શરીરનાં અંગોની વૃદ્ધિ જે – તે અંગનાં પ્રમાણમાં થાય છે.
- કોઈકવાર અંતઃસ્રાવી ગ્રંથિઓના અનિયમિત સ્રાવના કારણે શરીરનાં અંગોના વિકાસમાં અવરોધો ઊભા થાય છે. તેના પરિણામે ઊંચાઈ અને જાડાઈ ઓછી- વધારે હોવી, મસ્તક નાનું – મોટું હોવું વગેરે વિકૃત્તિઓ જોવા મળે છે.
- વૃદ્ધિની પ્રક્રિયા મર્યાદિત સમયમાં પૂરી થાય છે. એક તબક્કે વૃદ્ધિ અટકે છે. તે સ્થિતિને ‘પરિપકવતા’ કહે છે.
વિકાસ
- વૃદ્ધિની તુલનામાં વયના વધવા સાથે માનવીના વર્તનમાં થતાં પ્રગતિશીલ ફેરફારોને મનોવૈજ્ઞાનિકો વિકાસ તરીકે ઓળખાવે છે. પ્રમાણાત્મક વૃદ્ધિ સાથે પ્રમાણાત્મક વિકાસ સંકળાયેલો છે.
- વિકાસ એ શરીરનાં બધાં અંગોનો ગુણાત્મક અને ક્રિયાત્મક ફેરફાર સૂચવે છે.
1. વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય એને ‘વિકાસ’ કહે છે.
2. ‘વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપકવતાના લક્ષ્ય તરફ લઈ જતાં ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફારો એટલે વિકાસ.’ – ઈલિઝાબેથ હરલોક
3. ‘સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એ વિકાસ છે.’ – ક્રો અને ક્રો
4. ‘વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે’ – સ્કીનર
- વિકાસ એક સર્વાંગી અને સાંગોપાંગ પ્રક્રિયા છે. વિકાસ ક્રમબદ્ધ, પ્રતિકારક અને સુસંવાદી હોય છે. વૃદ્ધિ પ્રમાણાત્મક ફેરફાર છે જ્યારે વિકાસ ગુણાત્મક ફેરફાર છે.
વિકાસને અસર કરતાં પરિબળો
વિકાસના બે મુદ્દા છે : (૧) વારસો અને (૨) વાતાવરણ
એક જ જાતિનાં પ્રાણીઓની દેહરચના મૂળભૂત રીતે સમાન હોય છે. ગાય, ભેંસ કે માનવીની સંતતિ તેમની જાતિ જેવી જ હોય છે.
તેનું કારણ અનુવંશ, સમાન વારસો છે. વારસો અને વાતાવરણ વ્યક્તિગત તફાવતો સર્જે છે. અનુવંશ એટલે જૈવીય વારસો. જૈવીય વારસો જનીનતત્ત્વોનો બનેલો હોય છે અને તે વ્યક્તિને માતા- પિતા પાસેથી મળે છે.
વારસો અને વાતાવરણના સંયુક્ત પ્રભાવથી ફલિત અંડકોષનો વિકાસ થાય છે. આમ સરખું લગભગ સરખાને જન્મ આપે છે.
પરિપકવતા
1. ‘પરિપકવતા’ એટલે જીવંત પ્રાણીનાં વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા.
2. પરિપકવતા, વિકાસની પ્રક્રિયા અને પરિણામ સૂચવે છે. બાળક જે ઊંમરે જે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય તે કાર્ય કરવા માટે બાળક પરિપકવ છે એમ કહેવાય.
આનુવંશિક લક્ષણો આપમેળે અને અનુભવની મદદ વગર ક્રમિક રીતે પ્રગટ થાય, તો તે પરિપકવન છે. પરિપકવન કુદરતી પ્રક્રિયા છે અને યોગ્ય સમયે તે અચૂક જોવા મળે છે.
પરિપકવતાને કારણે જે બાળકમાં વિવિધ પ્રકારનાં વર્તનો શીખવાની તત્પરતા આવે છે. જનીનિક અને કુદરતી સમય પ્રમાણે પરિપકવતાની પ્રક્રિયા આગળ વધે છે. દા.ત., પક્ષીનું ઊડવું અને ચણવું.
વિકાસનાં સિદ્ધાંતો
1. ફ્રોઈડના મનોજાતીય વિકાસનો સિદ્ધાંત
(1) મુખકેન્દ્રીય અવસ્થા (જન્મથી આશરે દોઢ બે વર્ષ)
(2) ગુદ્દાકેન્દ્રી અવસ્થા (બીજા અને ત્રીજા વર્ષ દરમિયાન)
(3) શિશ્નકેન્દ્રી અવસ્થા (ત્રણ થી છ વર્ષ)
(4) સુપ્ત અવસ્થા (છ થી બાર વર્ષ)
(5) પુખ્ત શિશ્નકેન્દ્રી અવસ્થા (13 થી 14 વર્ષ)
2. જીન પિયાજેનો બોધાત્મક વિકાસ
(1) સાંવેદનિક કારક તબક્કો (જન્મથી બે વર્ષ)
(2) પૂર્વ ક્રિયાત્મક તબક્કો (બે થી સાત વર્ષ)
(3) મૂર્ત ક્રિયાત્મક તબક્કો (સાતથી બાર વર્ષ)
(4) અમૂર્ત ક્રિયાત્મક તબક્કો (બાર વર્ષથી આગળ)
3. એરિક એરિક્સનનો જીવન વિકાસનો તબક્કો
(1) વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ
(2) સ્વાયતત્તા વિરુદ્ધ શરમ અને શંકા
(3) પહેલવૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી
(4) ઉધમશીલતા વિરુદ્ધ લઘુતા
(5) ‘સ્વ’ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવાડો
(6) આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું
(7) ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા
(8) સુગ્રથિતતા વિરુદ્ધ હતાશા
માનવવિકાસને પ્રકરણમાંથી પુછાતા પ્રશ્નો Tat/Tet/Htat પરીક્ષાઓ માટે ઉપયોગી MCQS
1. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોણે કહ્યું હતુ ?
(A) ક્રો અને ક્રો
(B) ફ્રેન્ડ
(C) ઓલપોર્ટ
(D) વૉટ્સન
2. “વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર’ કોના મતે?
(A) ક્રો અને ક્રો
(B) ફ્રેન્ડ
(C) ઑલપોર્ટ
(D) હરલોક
3. વિકાસને અસર કરતાં પરિબળો કેટલાં છે ?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) ચાર
4. જીન પિયાજેએ વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે ? ज्ञान
(A) ત્રણ
(B) ચાર
(C) પાંચ
(D) છ
5. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત ક્યા મનોવૈજ્ઞાનિકે આપ્યો ?
(A) પિયાજે
(B) ફ્રોઈડે
(C) એરિક્સન
(D) કોહલબર્ગે
6. સાંવેદનિક કારક તબક્કો ક્યા વર્ષમાં જોવા મળે છે ?
(A) બે થી સાત વર્ષ
(B) જન્મથી બે વર્ષ
(C) સાતથી બાર વર્ષ
(D) બાર વર્ષ પછી
7. શરીરમાં થતાં રાસાયણિક ફેરફાર એટલે શું? ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો
(A) પરિપકવતા
(B) વિકાસ
(C) વૃદ્ધિ
(D) એકપણ નહિ
8. કોના મતે ‘સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એ વિકાસ છે’?
(A) ઈલિઝાબેથ હરલોક
(B) સ્કીનર
(C) ફ્રેન્ડ
(D) ક્રો અને ક્રો
9. ‘વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર’ આવું કોણે કહેલું ?
(A) ક્રો અને ક્રો
(B) ફ્રેન્ડ
(C) ઓલપોર્ટ
(D) વોટ્સન
10. ‘વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર’ આવું કોણે કહેલું ?
(A) ક્રો અને ક્રો
(B) ફ્રેન્ડ
(C) ઓલપોર્ટ
(D) હરલોક
11. વિકાસને અસર કરતાં પરિબળો કેટલાં છે ?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) ચાર
12. વ્યક્તિમાં દેખાતાં પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય ?
(A) પ્રભાવી
(B) પ્રચ્છન્ન
(C) નિણયક
(D) મૂળભૂત
13. દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડયા છે ?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) ચાર
14. જીન પિયાજે વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે ?
(A) ત્રણ
(B) ચાર
(C) પાંચ
(D) છ
15. મૂર્ત ક્રિયાત્મક તબક્કો ક્યા વર્ષમાં જોવા મળે છે ?
(A) 5 थी 7
(B) 7 थी 12
(C) 7 थी 11
(D) 5 थी 9
16. નૈતિક વિકાસની ત્રણ કક્ષાઓ કોણે દર્શાવી?
(A) પિયાજે
(B) એરિક્સન
(C) કોહલબર્ગ
(D) ફ્રોઈડ
17. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી ?
(A) પિયાજે
(B) એરિક્સન
(C) કોહલબર્ગ
(D) ફ્રોઈડ
18. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત ક્યા મનોવૈજ્ઞાનિકે આપ્યો ?
(A) પિયાજે
(B) ફ્રોઈડ
(C) એરિક્સન
(D) કોહલબર્ગ
19. ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં ક્રમિક, પ્રગતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર એટલે…
(A) વિકાસ
(B) વારસો
(C) પરિપક્વન
(D) વૃદ્ધિ
20. કુદરતનાં જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ?
(A) નિર્જીવ
(B) અનુવંશ
(C) સજીવ
(D) વારસો
21. વય વધવાની સાથે વ્યક્તિના વર્તમાનમાં પ્રગતિશીલ પેરફાર થાય તેને શું કહેવાય ?
(A) વિકાસ
(B) વૃદ્ધિ
(C) પરિપક્વન
(D) અનુવંશ
22. કોના મતે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે?
(A) પ્રો. દુર્ગાનંદ સિંહા
(C) ઇલિઝાબેથ હરલોક
(C) વાયગોટસ્કી
(D) ક્રો અને ક્રો
23. જીવંત પ્રાણીનાં વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે…
(A) પરિપક્વતા
(B) વિકાસ
(C) વૃદ્ધિ
(D) વારસો
24. બાળકના વિકાસના મુખ્ય ત્રણ વિભાગો કોણે પાડયા છે ?
(A) ઈલિઝાબેથ હરલોક
(B) ગેસલ
(C) ક્રો અને ક્રો
(D) દુર્ગાનંદ સિંહા
25. વૃદ્ધિની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે ?
(A) વિકાસથી
(B) અનુવંશથી
(C) ગર્ભાધાનથી
(D) પરિપક્વતાથી
26. હિન્દુશાસ્ત્રો પ્રમાણે વિકાસની પ્રથમ અવસ્થા કઈ છે ?
(A) સંન્યસ્તાશ્રમ
(B) બ્રહ્મચર્યાશ્રમ
(C) વાનપ્રસ્થાશ્રમ
(D) ગૃહસ્થાશ્રમ
27. કઈ અવસ્થા જીવનનો સંક્રાંતિકાળ કહેવાય છે ?
(A) વૃદ્ધાવસ્થા
(B) પુન્નાવસ્થા
(C) તરુણાવસ્થા
(D) કિશોરાવસ્થા
28. પાંત્રિસથી પચાસ વર્ષ સુધીની અવસ્થા ક્યા નામે ઓળખાય छे ?
(A) મધ્ય પુખ્તાવસ્થા
(B) કિશોરાવસ્થા
(C) પ્રારંભિક પુખ્તાવસ્થા
(D) બાલ્યાવસ્થા
29. બોધાત્મક વિકાસના તબક્કાઓ કોણે દર્શાવ્યા છે?
(A) એચ. ઈ. ગેરેટ
(B).જે. પી. ગીલ્ફર્ડ
(C) સી. ટી. મોર્ગન
(D) જ્યાં પિયાજે
30. ક્યા વર્ષના સમયગાળાને ‘મૂર્ત ક્રિયાત્મક’ તબક્કો કહે છે?
(A) જન્મથી બે વર્ષ
(B) બાર વર્ષથી આગળ
(C) સાતથી બાર વર્ષ
(D) બે થી સાત વર્ષ
31. ક્યા વર્ષના સમયગાળાને ‘અમૂર્ત ક્રિયાત્મક તબક્કો’ કહે છે?
(A) સાતથી બાર વર્ષ
(B) બાર વર્ષથી આગળ
(C) જન્મથી બે વર્ષ
(D) બાર વર્ષથી આગળ
32. ક્યા વર્ષના સમયગાળાને ‘સાંવેદનિક – કારક તબક્કો’ કહે છે?
(A) સાતથી બાર વર્ષ
(B) બેથી સાત વર્ષ
(C) જન્મથી બે વર્ષ
(D) બાર વર્ષથી આગળ
33. ક્યા વર્ષના સમયગાળાને ‘પૂર્વ – ક્રિયાત્મક તબક્કો’ કહે છે?
(A) બેથી સાત વર્ષ
(B) સાતથી બાર વર્ષ
(C) જન્મથી બે વર્ષ
(D) બાર વર્ષથી આગળ
34. ક્યા તબક્કામાં બાળક ફક્ત ચૂસવાની, ગળવાની અને પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ કરે છે ?
(A) મૂર્ત ક્રિયાત્મક
(B) પૂર્વ – ક્રિયાત્મક
(C) અમૂર્ત ક્રિયાત્મક
(D) સાંવેદનિક કારક
35. કઈ શૈલીમાં ઉછેરેલાં બાળકો હકારાત્મક મનોવલણવાળાં હોય છે?
(A) પારસ્પરિક
(B) છૂટછાટવાળી
(C) આપખુદ
(D) અધિકારવાદી
36. કઈ શૈલી ઉછેરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ?
(A) આપખુદ
(B) અધિકારવાદી
(C) લાડ લડાવવાની
(D) સામેલગીરી વિનાની

