મનોવિકૃતિઓ
માનવીની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, અમર્યાદિત છે, જ્યારે તેને સંતોષવાના માધ્યમો, સાધનો અને પ્રસંગો ખૂબ જ ઓછાં જોવા મળે છે. માનવીએ જીવનમાં સુખ-દુઃખ, ચડતી- પડતી, હાર-જીત વગેરે પરસ્પર વિરોધી પરિસ્થિતિઓનો સામનો અવાર-નવાર કરવો પડતો હોય છે.
{getToc} $title={Table of Contents} $count={Boolean}
વૈશ્વિક સ્તરે જેવી રીતે WHO સંસ્થા શારીરિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે, તેવી જ રીતે APA અમેરિકન સાયકાટ્રીક એસોસિયેશન માનસિક રોગોના ઉપચાર સાથે સંકળાયેલ છે.
સાધારણ વર્તન : સાધારણ વર્તનને સમજવા માટે સાધારણને અંગ્રેજીમાં NORMAL કહે છે. જે લેટિન ભાષાના NORMA શબ્દ પરથી ઉતરી આવેલ જેનો અર્થ ‘સુથારની માપપટ્ટી’ જે આદર્શ ગણાય. આમ, આદર્શ સ્થિતિ એટલે ‘NORMAL’
અસાધારણ વર્તન :
AB + NORMAL
Awayfrom + NORMAL
(નાથી દૂર) (સાધારણ)
તેથી અસાધારણ, એટલે જે સાધારણથી દૂર છે તે
અસાધારણ વર્તન એટલે શું?
વ્યાખ્યા : અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. – વોરેન
આંતરરાષ્ટ્રીયક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકૃત સાથે બે સંસ્થાઓ જોડાયેલ છે.
(i) WHO વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization)
(ii) APA અમેરિકન સાયક્યાટ્રીક એસોસિયેશન
અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો
(1) જૈવીય પ્રતિમાનો :
અસાધારણ વર્તન માટે કેટલેક અંશે વારસો જવાબદાર છે.
નીલ અને ઓલ્ટામાનીસ 1980માં દર્શાવ્યું કે, સ્ક્રીઝોફેનિયા (છિન્ન મનોવિકૃત)એ વારસો જોવા મળતી વિકૃતિ છે. આ ઉપરાંત મનોદૂર્બળતા વારસાગત જોવા મળતી માનસિક અક્ષમતા છે.
પેકલે 1982માં ખિન્નતા (ડિપ્રેશન) પર અભ્યાસ કરી અસાધારણ માટે વારસાગત કારણો દર્શાવ્યા છે.
આધુનિક જૈવિક અભિગમ અસાધારણ વર્તન માટે વારસાની સાથે-સાથે જૈવ રાસાયણિક અને મસ્તિષ્ક વિકારને વધુ મહત્ત્વ આપે છે. પક્ષઘાત, વિભ્રમ, અલઝાઇમરનો રોગ વગેરે માટે મસ્તિષ્ક વિકાર જવાબદાર છે.
મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો
મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન
(a) ચેતન – અચેતન મન
- વાર્તનિક પ્રતિમાન
- બોધાત્મક પ્રતિમાન
- માનવતાવાદી પ્રતિમાન
- આંતરવૈધક્તિક પ્રતિમાન
મનોજાતીય વિકાસની અવસ્થાઓ :
- ફોઈડે વ્યક્તિત્વના વિકાસ માટે મનોજાતીય પાંચ અવસ્થા આપી છે.
- સ્તનપાન (મુખાવસ્થા) : જન્મથી લઈ બે વર્ષ સુધી બાળક સ્તનપાન દ્વારા ખોરાક મેળવી સંતોષનો અનુભવ કરે છે.
- ગુદાવસ્થા : 2થી 3 વર્ષ બાળક મળમૂત્ર વિસર્જન ક્રિયા દ્વારા આનંદ મેળવે છે.
- લિંગ અવસ્થા : 3થી 6 વર્ષ જેમાં બાળકની કામુકતાનું કેન્દ્ર તેની પોતાની જનેન્દ્રિયો હોય છે.
- સુષુપ્તાવસ્થા : 6થી 12 વર્ષ બાળક પોતાનાં નવાં કૌશલ્યો અને આવડતોનો વિકાસમાં વધુ રસ દાખવે છે.
- જનનેદ્રિયાવસ્થા : આ અવસ્થા 13 વર્ષથી લઈને આજીવન રહે છે. બીજી વ્યક્તિ સાથેના સંબંધથી મહત્તમ સંતોષ અને આનંદ મેળવે છે.
(2) વાર્તનિક પ્રતિમાન :
- વર્તનવાદના પ્રણેતા, જે વોટ્સન દ્વારા આ પ્રતિમાન દર્શાવેલ છે.
- શાસ્ત્રીય અભિસંધાન : ઇવાન પેટ્રોવીચ પાવલોવ
- ક્રિયાત્મક અભિસંધાન : બી. એફ. સ્કીનર
(3) બોધાત્મક પ્રતિમાન :
- (a) ધ્યાન
- (b) સ્મરણ
- (c) સંગઠનાત્મક સંરચનાઓ
અસાધારણ વર્તનનાં કારણો :
- જૈવીય કારણો
- મનોસામાજિક કારણો
- સામાજિક કારણો
મુખ્ય મનોવિકૃતિઓ :
(1) ચિંતા સંબંધી મનોવિકૃતિઓ :
(a) સામાન્યીકૃત વિકૃત ચિંતા (GAD ચિંતા) :
- આને મુક્ત રીતે તરતી ચિંતા તરીકે પણ ઓળખાય છે.
નીચેનાં શારીરિક અથવા બોધનાત્મક લક્ષણો :
- જલદીથી થાકી જવું
- ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી
- શારીરિક અસ્વસ્થતા
- આત્યંતિક કક્ષાની સંવેદનશીલતા
- સ્નાયવિક તંગદિલી
- ઊંઘમાં વિક્ષેપ
- મોટા ભાગના લોકોમાં વધુ પરસેવો થવો, ઊબકા આવવા, ઝાડા થઈ જવા, શરીરમાં ધ્રુજારી થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, હૃદયના ધબકારા વધી જવા, વારંવાર શરદી થવી, બેભાન થઈ જવું
- માનસિક લક્ષણો : એકાગ્રતાની અશક્તિ, મનમાં અશાંતિ અનુભવવી, વિચારો પર નિયંત્રણનો અભાવ, વાણીમાં ખચકાટ કે તોતડાપણું, મૃત્યુના ભયનો સમાવેશ થાય છે.
(i) વિકૃતિ ભય :
- ભય એ એક આવેગ છે. ભય ઉત્પન્ન ન કરી શકે તેવી પરિસ્થિતિના આત્યંતિક કક્ષાનો ભય વિકૃત ભય કહેવાય.
(ii) વિશિષ્ટ ભય :
- વિશિષ્ટ ઉદ્દીપક કે પરિસ્થિતિ પરત્વે વ્યક્તિના આત્યંતિક અને અતાર્કિક ભયનાં લક્ષણો જણાતાં તેનું નિદાન વિશિષ્ટ ભય તરીકે કરવામાં આવે છે. આ ભયની શરૂઆત બાલ્યાવસ્થાથી થાય છે.
- યુ.એસ.માં તેનું પ્રમાણ 8.7 ટકા એટલે કે, 19 મિલિયન વ્યક્તિઓ વિકૃતિથી પીડાય છે.
- પ્રાણી સંબંધી પ્રકાર : કરોળિયો, ગરોળી, કૂતરાં વગેરે પ્રાણીઓનો
પ્રાકૃતિક વાતાવરણ સંબંધી પ્રકાર :
- પાણી, ઊંચી જગ્યાનો ભય, અંધારાનો ભય, વાવાઝોડાનો ભય
લોહી-ઇન્જેક્શન-ઈજા સંબંધી પ્રકાર :
- જેમાં વ્યક્તિને લોહી, લોહીનું પરીક્ષણ કરાવવા સંબંધી, ઇન્જેક્શન લેવા સંબંધી, ટી.વી. પર ઓપરેશન સંબંધી દૃશ્યો જોવાનો ભય.
અન્ય પ્રકારો :
- અહીં ગૂંગળામણ કે ઊલટી થવાનો ભય, અસાધ્ય રોગ થવાનો બાળકોમાં ફુગ્ગા ફોડતા લાગતા ભયનું સમાવેશ થાય છે.
(b) સામાજિક ભય (ચિંતાની વિકૃતિ)
- પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ પ્રકારના ભયનો પ્રમાણ વધારે જોવા મળે છે.
- આ ભય તરુણાવસ્થા અને પુખ્તાવસ્થાના શરૂઆતના સમય ગાળામાં જોવા મળે છે.
- શારીરિક લક્ષણો : વધુ પરસેવો થવો, શ્વાસો શ્વાસમાં મુશ્કેલી,ધ્રુજારી થવી, હૃદયના ધબકારા, ઊલટી ઉદા., જાહેરમાં ભાષણ આપવામાં, જાહેર શૌચાલયનો ઉપયોગ કરવામાં, જાહેરમાં ભોજન કરવામાં વગેરે…..
(c) ખુલ્લી જગ્યાનો ભય :
- અંગ્રેજીમાં Agorophobia કહે છે. ગ્રીક ભાષાના Agera પરથી ઊતરી આવેલ છે, જેનો અર્થ થાય છે જાહેર સ્થળ
- આવી વ્યક્તિઓ શેરીઓ, સામાજિક મેળાવડો, શોપિંગ સેન્ટરો, થિયેટરો, ખેલનાં મેદાનો, વગેરે એકલા જવાનું ટાળે છે.
- લાઇનમાં ઊભા રહેવું, જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પુલ પરથી પસાર થવું.
- 1. જાહેર પરિવહનનો ઉપયોગ (દા. ત., બસ, રેલવે, વિમાન વગેરેનો ઉપયોગ)
- 2. ખુલ્લી જગ્યાએ પહોંચવું (દા. ત., પાર્કિંગ વિસ્તાર, બજારમાં કે બ્રિજ પર જવું)
- 3. બંધ જગ્યાએ પહોંચવું (દા. ત., દુકાનો, નાટ્યગૃહો હું સિનેમાઘરમાં જવું)
- 4. લાઇનમાં ઊભા રહેવું અથવા ભીડમાં જવું
- 5. ઘરની બહાર એકલા જવું
(iii) અનિવાર્ય વિચારદબાણ – અનિવાર્ય ક્રિયાદબાણ)
- અનિવાર્ય વિચાર દબાણમાં વ્યક્તિને વારંવાર કોઈ અવાસ્તવિક અસંગત, અર્થહીન વિચારો, કલ્પનાઓ આવે છે.
- પોતાને ભયંકર રોગ થયો હોવાનો, ચેપી રોગ લાગુ પડવાનો, પોતાને કે અન્યને ઈજા થવાનો, પોતાને કે બીજાને કોઈ ઊંચી જગ્યાએથી ફેંકી દેવાનો, કુટુંબના સભ્યોની સલામતી અંગેના અથવા જાત કે ધાર્મિક્તાને લગતાં વિચારોનો સમાવેશ થાય છે.
- અનિવાર્યક્રિયા દબાણમાં કોઈ એક ચોક્કસ પ્રકારનું કાર્ય વ્યક્તિ કોઈ પણ જાતના તાર્કિક કારણ વિના કરે છે.
- સામાન્ય રીતે હાથ કે શરીરનો ચોક્કસ ભાગ ધોવો, ઘરને તાળું બરાબર લગાવ્યું છે કે નહિ ?
(2) મનોદશાની વિકૃતિઓ :
- DSM-Vમાં મનોદશાની વિકૃતિનું દ્વિધ્રુવીય અને ખિન્નતાની વિકૃતિના શીર્ષક હેઠળ સમજાવવામાં આવી છે.
(a) દ્વિધ્રુવીય | મનોવિકૃતિ : (ખિન્નતાની વિકૃતિ) મુખ્ય લક્ષણ ઉદાસીનતા અને ખિન્નતા
- ભૂખ, ઊંઘ શારીરિક જરૂરિયાતનો ઓછા અનુભવ
- ઊંઘમાં વિક્ષેપ થવો, અભિરુચિમાં ઊણપ, આનંદનો અનુભવ ઓછો થવો, આત્મહત્યાના વિચારો
(b) દ્વિધ્રુવીય || મનોવિકૃતિ :
- સ્વભાવ ચીડિયાપણો
- ઊંઘમાં નોંધપાત્ર ઘટાડો
(3) શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓ :
આ ક્રિયાસંબંધી મનોવિકૃતિઓ બાલ્યાવસ્થામાં જોવા મળે છે. પોતાની દૈનિક ક્રિયાઓ, જેવી કે બટન બંધ કરવા, દર્પણમાં જોયા કરવું વગેરે.
(a)ડિસ્લેકક્ષિયા (Dyslexia):
- એક સર્વે અનુસાર અમેરિકામાં શાળામાં અભ્યાસ કરતાં બાળકોમાંથી 17% બાળકોમાં આ સમસ્યા છે. 2012 અનુસાર ભારતમાં 9.87% જેટલું હતું. છોકરાઓમાં વધુ પ્રમાણ જોવા મળે છે.
લક્ષણો :
- શબ્દોને સમજવાની અક્ષમતા
- ઉચ્ચારણમાં સ્પષ્ટતામાં મુશ્કેલી
- શૈક્ષણિક સિદ્ધિ મેળવવાની પ્રેરણાનો અભાવ
- 8 ને 6 લખવું, 2 અને 5 નો તફાવત ન સમજવો.
- આવી અક્ષમતા ધરાવનાર વ્યક્તિને જો યોગ્ય તાલીમ આપવામાં આવે તેનામાં રહેલી અક્ષમતાને ઓળખાય. ‘તારે ઝમી પર’ ફિલ્મ આનું ઉત્તમ ઉદાહરણ છે.
- થોમસ આલ્વા એડિસન, જ્યોર્જ વોશિંગ્ટન, આલ્બર્ટ આઇનસ્ટાઇન, લીયોનાર્ડો-દ-વિન્ચી, બિલ ગેટ્સ બાળપણમાં ડિસ્લેક્ષિયાનાં લક્ષણો ધરાવતા હતા.
(b) આત્મરત વિકૃતિ – (ASD) :
- Autism Spectrum Disardler આત્મરત વિકાસાત્મક વિકૃતિ છે.
- 27 માર્ચ, 2014માં અમેરિકાની સંસ્થાના અભ્યાસે દર્શાવ્યું કે 68 બાળકમાંથી 1 બાળક જોવા મળે છે. આ વિકૃતિનું પ્રમાણ છોકરોમાં વધુ જોવા મળે છે. 2013માં ઓટિઝમનું પ્રમાણ 1 થી 1.5 ટકા છે.
- બાળક એકની એક ક્રિયા વારંવાર કરે છે.
- બાળક આંખ મેળવવાનું ટાળે છે.
- બાળક બીજી વ્યક્તિને લાગણી કે પોતાના વિચાર દર્શાવતું નથી.
- અસંબંધ રીતે હસ્યા કરે
(c) ધ્યાનન્યૂનતા – અતિપ્રવૃત્તિશીલતાની વિકૃતિ :
- ADHD – Attention Deficit Hyperactivity Disorder
- 4 થી 17 વર્ષનાં બાળકોમાં 2003માં 7.8% 2007માં 9.5% 2011માં 11% જેટલું
- ભારતમાં ADHDનું પ્રમાણ 5થી 10%
- ધ્યાનન્યૂનતા, આવેગશીલતા, અતિપ્રવૃત્તિશીલ જોવા મળે છે.
- કાર્ય પૂર્ણ કરતા નથી.
- દિવાસ્વપ્નમાં રાચે
- રમત શાંતિપૂર્ણ રમી ન શકે
- એક જગ્યા પર લાંબા સમય સુધી સ્થિર ન બેસવું
- ધીરજ ન ધરવી
- પ્રશ્નો પૂરા થાય તે પહેલા જવાબ આપી દેવો
- એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેવું

